શ્રી ચીનુ મોદી - ગુજરાતી ગઝલને એક નવા મુકામ પર મૂકી આપનાર નામ. આજે પણ
નિયમિતતાથી શનિ સભામાં આવે...શનિ સભાનો નિયમ એ કે તમારી નવી રચના જ રજૂ
કરવાની...બાકીના કવિઓ પાસે નવું કાવ્ય હોય કે નહિં, ચીનુકાકા પાસે તો હોય
હોય ને હોય જ! સાતત્યએ શું એ નવા કવિઓને શીખવાડવા માટેનો જ જાણે
કિમિયો..પોતે ગુજરાતી સાહિત્ય માટે આટલું કર્યું હોવાનો કોઈ છોછ રાખ્યા
વગર..કોઈ ભાર રાખ્યા વગર એકદમ સરળતાથી સહજતાથી કોઈ પણ નવા અવાજને સાંભળવા
અને આવકરવા હંમેશા તત્પર..ગઝલમાં એ જે નવો મિજાજ લાવ્યા છે એની એક ઝાંખી
કરીએ....
ઝેર જાણી ચાખી જોવું જોઈએ.
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.
તું નથી એવા સમયના સ્થળ વીશે
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.
પારકા બે હાથના સંબંધમાં
લોહી જેવું લાવી જોવું જોઈએ.
ચડિયાને રણમાં રોપો એ પ્રથમ
રેતનું છળ ગાળી જોવું જોઈએ.
ઠાઠ ભભકા એ જ છે ' ઈર્શાદ'ના
ઘર બળે તો તાપી જોવું જોઈએ.
No comments:
Post a Comment