Thursday, 18 October 2012

થઈ જાય છે...રઈશ મનીઆર

કવિતાના દિપોત્સવી અંકમાંથી મારા પ્રીય શાયર શ્રી રઈશ મનીઆરની એક ગઝલ...

પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે.
ઘર નથી એનું ગગન થઈ જાય છે.

પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે,
આંગણે કીર્તન ભજન થઈ જાય છે.

રાહ જોતું હોય છે પહેલું કીરણ,
ખોલતા બારી શુકન થઈ જાય છે.

ઓસબિંદુથી નમે છે પાંદડી,
એક ટીપાનું વજન થઈ જાય છે.

ભાગતી ખૂશ્બુનો એ પીછો કરે,
આ હવા ત્યારે પવન થઈ જાય છે.

No comments:

Post a Comment